Rajkot: PGVCL અને GETCOમાં ભ્રષ્ટાચાર મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ કર્યા આક્ષેપ
સોર્સ : GSTV
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ PGVCL અને GETCOમાં થતા મોટાપાયે ભ્રષ્ટાચાર મુદ્દે ખુલાસો કર્યો હતો. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા પહેલા તેમણે આ મુદ્દે ધડાકો કર્યો. જામનગરમાં PGVCL ભરતીમાં ડમી ઉમેદવારો ઘુસાડવા અને જૂનાગઢમાં અધિકારીઓ ખાનગી યુનિયન અધિવેશન માટે 11 KVની લાઇન તાત્કાલિક નાખી, સરકારી વાહનોનો દુરુપયોગ કરવા જેવા આરોપ પર વાત કરવામાં આવશે. ઉપરાંત ખોટી રીતે પોસ્ટ ઉભી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ખેડૂતોને વીજ કનેક્શન માટે રાહ જોવડાવતા અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો.

