Rajkot: NH-27 પર ઓવરબ્રિજના વિરોધમાં ગ્રામજનોનો હલ્લાબોલ, 'નેશનલ હાઇવે ઓથોરિટી હાય હાય'ના નારા લગાવ્યા
સોર્સ : GSTV
નેશનલ હાઈવે નંબર 27 પર શાપર-વેરાવળ જંકશન પાસે સૂચિત વધારાના ઓવરબ્રિજને લઈને વિવાદ વકર્યો છે. આ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે આજે મોટી સંખ્યામાં વેરાવળના ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ રાજકોટ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આ બ્રિજને રદ કરવાની અથવા ડિઝાઇનમાં ફેરફાર કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને નેશનલ હાઈવે ઓથોરિટી હાય હાયના નારા લગાવ્યા હતા.
ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે અથવા તેને રદ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરશે.

