Rajkot News: સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, બે સપ્તાહથી દર્દીને નથી મળી રહી દવા
સોર્સ : gstv
રાજકોટમાં સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે. થાનથી આવેલ દર્દીને સિવિલમાં દવા ન મળતા બહારથી દવા લેવાનું જણાવવામાં આવ્યું હતુ.
દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબે કહ્યું હતુ કે, દવા અહીંયા નહીં મળે બહારથી લેવી પડશે. બહારથી 4000 થી 5000 રૂપિયાની દવા મળે છે. આ દર્દીએ 5 મહિના પહેલા મગજનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારે છેલ્લા બે સપ્તાહથી આ દર્દીને દવા મળી રહી નથી.

