VIDEO: રવિદાસ બાપુ પુનઃ મુરલી મનોહર મંદિર પરત ફરશે, મીડિયા સમક્ષ ભાવુક નિવેદન
સોર્સ : gstv
ધોરાજીના સુપેડી ગામના મુરલી મનોહર મંદિરના પૂજારી રવિદાસ બાપુએ મીડિયા સમક્ષ ભાવુક નિવેદન આપતા જણાવ્યું કે, ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે તેઓ પરિવાર અને ભાગવતજીને લઈને અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભાગવત ભગવાનનું અપમાન તેમનાથી સહન ન થતું હોવા છતાં, પોલીસ તંત્રને શાંતિ જાળવવામાં મદદરૂપ થવા તેમણે મંદિર છોડવાનો નિર્ણય લીધો હતો.
જોકે, હવે તેઓ ફરી સપરિવાર મંદિર પરત જઈ રહ્યા છે અને સુરક્ષાના કારણોસર તેમણે ધોરાજી પોલીસને લેખિત અરજી કરી બંદોબસ્તની માંગ કરી છે. આ નિવેદનથી સુપેડીમાં ચાલી રહેલા વિવાદ પર વિરામ આવવાની આશા સેવાઈ રહી છે.

