VIDEO: રાજકોટમાં 11 મંદિરોના ડિમોલિશન મામલે ગરમાયું રાજકારણ, હનુમાનજીની ગદા રાખીને સરકાર-તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરાયો
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 11 જેટલા મંદિરોનું ડિમોલિશન કરવાનો નિર્ણય લેવાતા હવે આ મામલે રાજકારણ ગરમાયું છે. મનપાની આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પક્ષ પણ મેદાને આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા શહેરના પ્રખ્યાત ત્રિકોણ બાગ સર્કલ ખાતે એકત્રિત થઈને ઉગ્ર ધરણા યોજવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ કાયદો અને વ્યવસ્થા વચ્ચે રામધૂન બોલાવી હતી તેમજ હાથમાં હનુમાનજીની ગદા રાખીને અનોખી રીતે સરકાર અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

