VIDEO: ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પંડિત જવાહરલાલ નેહરુ વિશે આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો, જાણો શું છે સમગ્ર મામલો
સોર્સ : gstv
રાજકોટના ધોરાજીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલ દ્વારા પંડિત જવાહરલાલ નેહરુ વિશે આપવામાં આવેલા વિવાદિત નિવેદનથી રાજકારણ ગરમાયું છે. હરિ પટેલે નેહરુને લઘુમતિ સમાજના ગણાવતા કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા છે. ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિરે આ નિવેદનને ભાજપની "બૌદ્ધિક નાદારી" ગણાવી છે.પ્રગતિ આહિરે પૂર્વ સાંસદને આડે હાથ લેતા જણાવ્યું કે, "ભાજપ પાસે જ્યારે કોઈ મુદ્દા નથી હોતા, ત્યારે આવા બફાટ કરવામાં આવે છે." તેમણે ઉમેર્યું કે આખો દેશ જાણે છે કે નેહરુજી કાશ્મીરી પંડિત હતા, હરિભાઈએ પહેલા ઇતિહાસ ચકાસવાની જરૂર છે

