VIDEO : Rajkot તંત્રની ગંભીર બેદરકારી, સાંઢિયા પુલ પર પાણીના નિકાલની પાઈપલાઈન જ ગાયબ!
સોર્સ : GSTV
રાજકોટના સાંઢિયા પુલના લોકાર્પણ આડે ફરી એકવાર તંત્રની ગંભીર બેદરકારીને કારણે વિઘ્ન સર્જાયું છે. જેમાં બ્રિજ પરથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાનું જ કોન્ટ્રાક્ટર ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ઇજનેરોએ પણ તપાસ દરમિયાન સબ સલામત હોવાની લોલમલોલ લીલીઝંડી આપી દીધી હતી. પરંતુ હવે જાણવા મળ્યું છે કે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું જ બાકી રહી ગયું છે. આ ટેકનિકલ ખામીને સુધારવા અને નવી પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે હવે લોકાર્પણના નિર્ધારિત કાર્યક્રમમાં ફેરફાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

