Video: 'રાજકુમાર જાટનું મોત અકસ્માતે થયું હતું', SITએ ગણેશ ગોંડલને આપી ક્લીનચિટ
સોર્સ : GSTV
રાજકોટના ચકચારી રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક આવ્યો છે. હાઈકોર્ટના આદેશથી રચાયેલી SITએ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને ક્લીનચિટ આપી દીધી છે. એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં થયેલી ત્રણ મહિનાની ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું છે કે, યુવાનનું મોત હત્યા નહીં પણ અકસ્માત હતો. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરી ગણેશ ગોંડલ વિરુદ્ધના તમામ આક્ષેપો પાયાવિહોણા ઠેરવવામાં આવ્યા છે. હવે આ મામલે આગામી સુનાવણી ૨૯ જૂન ૨૦૨૬ના રોજ યોજાશે.

