VIDEO: રાજકોટ: સાર્વત્રિક વરસાદથી ખરીફ પાકને રાહત,પણ નુકસાની સામે અસંતોષ
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઈકાલે નોંધાયેલા દોઢથી અઢી ઇંચ સાર્વત્રિક વરસાદથી કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકને નવું જીવતદાન મળ્યું છે. આ વરસાદથી આગામી દસ દિવસ સુધી પિયતની જરૂર નહીં પડે જેથી ખેડૂતો તેને 'કાચું સોનું' ગણાવી રહ્યા છે. જોકે, શ્રાવણ માસમાં વરસાદ ખેંચાતાં મગફળીના પાક અને દાણાના વિકાસને મોટું નુકસાન થઈ ચૂક્યું છે. ખેડૂતોના મતે છેલ્લા દસ વર્ષમાં આ સૌથી નબળું વર્ષ રહ્યું હોવાથી હજુ વધુ સારા વરસાદની જરૂર છે.

