VIDEO: રાજકોટ : જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ વિવાદ, ૩૫ દિવસે પણ તપાસ અધૂરી
સોર્સ : gstv
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે ૩૫ દિવસ વીતી ગયા છતાં તપાસ અધૂરી રહેતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આશ્ચર્યજનક રીતે તપાસ સમિતિના અત્યાર સુધીમાં ત્રણ અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે, છતાં અધિકારીઓ અને પદાધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ગોકળગતિએ ચાલી રહેલી તપાસને કારણે કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચા શહેરમાં તેજ બની છે.

