VIDEO: રાજકોટ: જંગલેશ્વર ડિમોલિશન ખર્ચનો હિસાબ નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે.
સોર્સ : GSTV
રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન અને કોરોના કાળના ખર્ચ મુદ્દે વિવાદ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ નેતા ડૉ. હેમાંગ વસાવડાએ મનપા કમિશનરને પત્ર લખી ડિમોલિશન ખર્ચ, પેન્ડિંગ બિલો અને વેન્ડરોની વિગતો જાહેર કરવા માંગ કરી છે. તંત્ર દ્વારા જો આ માહિતી આપવામાં નહીં આવે, તો આગામી જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆત સાથે મુદ્દો ઉઠાવવાની ચેતવણી આપવામાં આવી છે.

