VIDEO: રાજકોટ: જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મામલે તપાસ સમિતિમાં મોટો ફેરફાર
સોર્સ : gstv
રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન ખર્ચ મુદ્દે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. ડિમોલીશન ખર્ચની તપાસ માટે રચાયેલી કમિટીના અધ્યક્ષ તરીકે હવે સી.કે. નંદાણીના સ્થાને કેતન જોષીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સી.કે. નંદાણી કમિટીના સભ્ય તરીકે કામગીરી કરશે. કેતન જોષી હાલ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તેમજ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે જંગલેશ્વર ડિમોલીશનનો કુલ ખર્ચ હજુ સુધી મહાનગરપાલિકાએ જાહેર કર્યો નથી. ખર્ચને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કમિટીના નેતૃત્વમાં થયેલો આ ફેરફાર ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તપાસના આગામી પગલાં પર સૌની નજર છે.

