VIDEO: રાજકોટમાં પ્રિ-મોન્સુન કામગીરીને લઈ મનપા એક્શન મોડમાં, 700થી વધુ જર્જરિત મકાનોને અપાઈ નોટીસ
સોર્સ : gstv,ai
ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં જર્જરિત મકાનો ધરાશાયી થતા હોય છે, ત્યારે રાજકોટ મહાપાલિકાએ પ્રિ મોન્સુન કામગીરી હેઠળ કુલ 700થી વધુ જર્જરિત મકાનોને નોટીસ પાઠવી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે તંત્રએ શહેરના ત્રણેય ઝોનમાં સર્વે હાથ ધર્યો, જે બાદ માત્ર સરકારી આવાસો જ નહીં, પરંતુ ખાનગી માલિકીના જર્જરિત મકાનોનોને પણ નોટીસ પાઠવીને આ મકાનોને સમયસર ઉતારી પાડવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.

