Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Major action by Range IG Nirlipta Rai in Rajkot murder case

VIDEO : Rajkot મર્ડર કેસમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મોટી કાર્યવાહી: બે PI, એક PSI અને ASI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ!

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લામાં પડધરીના ખખડાબેલા ગામે યુવકીની હત્યા કેસમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બેદરકારી દાખવનારા પડધરીના તત્કાલીન પીઆઇ એચ.એન.રાઠોડ, પીઆઇ એસ.એન.પરમાર, પી.એસ.આઇ  જે.જે.વાળા અને એ.એસ.આઈ. ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરાયા છે.

App Store

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ સુધી દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપીઓ ફરાર હતા. અને ફરાર આરોપીઓને પોલીસ ઝડપી પાડે તે પૂર્વે જ નરાધમોએ ફરિયાદીની હત્યા કરી હતી. મૃતકે જાનથી મારી નાંખવાની ધમકીઓ મળ્યાં બાદ રક્ષણ માટે પણ અરજી કરી હતી તેમ છતાં પણ બે વર્ષ સુધી સ્થાનિક પોલીસ આરોપીઓને ઝડપી ન શકી. ખાસ તો પીઆઈ એસ.એન. પરમાર 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ થયા છે. અગાઉ લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા એસ.એન.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.