VIDEO: 'ટૂંક સમયમાં મુખ્યમંત્રી બદલાય તો નવાઈ નહીં', કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન
સોર્સ : gstv
રાજકોટમાં આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઋત્વિક મકવાણાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપ દ્વારા વિવિધ સમાજોની અવગણના કરવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. આ દરમિયાન તેમણે સૌથી ચોંકાવનારું વિધાન કરતા કહ્યું કે, જો ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી બદલાય તો નવાઈ પામવા જેવું નથી.

