VIDEO: રાજકોટમાં અઢાષી બીજના દિવસે મેઘરાજાના વધામણાં
સોર્સ : gstv
લાંબા સમયથી રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓ માટે મેઘરાજાએ અષાઢી બીજનું મૂર્હૂત પસંદ કર્યું. રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં વરાસાદી માહોલ જામતા ખુશનુમા વાતાવરણ છવાયું હતુ. લોકવાયકા મુજબ અષાઢી બીજનો વરસાદ ખેડૂતો માટે શુભ માનવામાં આવે છે. અઢાષી બીજના જ દિવસે વરસાદી માહોલ જામતા ખેડૂતોને વાવણી થવાની આશા જાગી છે. ઘણા વિસ્તારોમાં વાવણી બાદ વરસાદ થયો નથી અથવા તો ઘણા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ ન થતા હજુ વાવણી જ અટકી પડી છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યાં છે આ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદ થાય અને પાણીના તળ ઉંચા આવે તેવા વરસાદની આશા રાખી રહ્યાં છે.

