VIDEO:રાજકોટ-જેતપુર હાઈવે પ્રોજેક્ટમાં તેજી, 25 બ્રિજનું કામ પૂર્ણ
સોર્સ : GSTV
રાજકોટ-જેતપુર હાઈવેને લઈને જિલ્લા કલેકટરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 25 જેટલા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને 70 ટકા કરતાં વધુ બ્રિજનું કામ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ચોમાસા દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ડાયવર્ઝન પોઈન્ટ પર ક્રેનની વ્યવસ્થા કરવામાં આવશે. બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બ્રિજ નિર્માણ કાર્ય પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેની જવાબદારી હવે અન્ય એજન્સીને સોંપવામાં આવી છે.

