VIDEO : રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો
સોર્સ : GSTV
રાજકોટમાં 21મી સદીમાં પણ હળાહળ અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પતિના અવસાન બાદ પત્નીનું બળજબરીપૂર્વક મુંડન કરાવવામાં આવ્યું હતું. 11 નવેમ્બર 2025ના રોજ ચંદ્રેશ જાગણીનું કેન્સરથી અવસાન થયા બાદ, ત્રીજા જ દિવસે સાસુ અને નણંદના આદેશથી પીડિતા પર આ અનિષ્ટ પ્રથા લાદવામાં આવી હતી. પરિવાર અંધશ્રદ્ધામાં એટલો ડૂબેલો હતો કે કેન્સર જેવી ગંભીર બીમારીમાં પણ દવા અને ટ્રીટમેન્ટ બંધ કરાવીને ભૂવાઓની માનતા રાખવામાં આવી હતી. આ અમાનવીય ઘટના અંગે આખરે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

