VIDEO: રાજ્યમાં 'ગન કલ્ચર' હોવાનો ઈટાલિયાનો દાવો, પોલીસે 'આપ' કાર્યકરોને ધમકાવ્યા હોવાનો આરોપ
સોર્સ : gstv
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ રાજ્યના બે મહત્વના મુદ્દે સરકારને ઘેરી છે. સુરત અને અમદાવાદમાં હજારો લોકો પાસે રિવોલ્વર હોવાનું જણાવી તેમણે ગુજરાતમાં બિહાર જેવું 'ગન કલચર' હોવાનો દાવો કર્યો છે. આ સાથે જ સુરેન્દ્રનગર એસપી દ્વારા 'આપ' કાર્યકરોને ધમકાવવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. બીજી તરફ, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના બંગલા મામલે 25 કરોડના ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા ગણાવી ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.

