Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A special walker zone will be created for rakdi-fairs in Rajkot

VIDEO: રાજકોટમાં રેકડી-ફેરિયાઓ માટે સ્પેશિયલ વોકર ઝોન બનશે

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કુલ 42 પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ મેયર નેહલ શુક્લે મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી. જનરલ બોર્ડમાં બે મહત્વના ઠરાવ કરવામાં આવ્યા છે. હવે રસ્તા પર રેકડીઓ ઉભી રાખવા દેવામાં નહીં આવે અને રેકડીઓ તથા ફેરિયાઓ માટે સ્પેશિયલ વોકર ઝોન જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત પાણી વેરામાં વ્યાજને લઈને પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. પાણી વેરામાં મુદ્દલ રકમથી વધુ વ્યાજ વસૂલવામાં નહીં આવે. લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ મનપાની જનરલ બોર્ડની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsrajkotrmc