VIDEO: પોરબંદરના માધવપુરમાં દરિયામાં ડૂબી જવાથી મહિલા યાત્રાળુનું મોત,પતિની તબિયત ગંભીર
સોર્સ : gstv
પોરબંદરના માધવપુર દરિયા કિનારે પાણીમાં પગ બોળવા ગયેલા દિલ્હીના યાત્રાળુ દંપતી સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાના ઊંચા મોજા સાથે વહી જવાથી અંજલિબેન હરિમોહન શર્મા નામના મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે તેમને બચાવવા ગયેલા તેમના પતિ હરિમોહન શર્માની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે…સ્થાનિક યુવાનો અને લોકોએ ભારે જહેમત બાદ બંનેને સમુદ્રમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, આ અચાનક બનેલી ઘટનાથી યાત્રાળુઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

