VIDEO: પાટણઃ ૧૪૪મી રથયાત્રા ભગવાન જગન્નાથજીના મામેરાનો લાભ મોદી પરિવારને મળ્યો
સોર્સ : GSTV
અમદાવાદ પછી ગુજરાતની બીજા નંબરની અને ભારતની ત્રીજા નંબરની સૌથી જૂની ઐતિહાસિક પાટણની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પાટણના રોકડીયા ગેટ પાસે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી નીકળનારી આ ૧૪૪મી રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ છે. આ યાત્રામાં ભગવાનને મામેરું અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે, જેના માટે ૧૦ વર્ષ સુધીનું વેટિંગ લિસ્ટ ચાલે છે. વર્ષ ૨૦૨૬ની આ રથયાત્રામાં મામેરાનો પવિત્ર લાભ મોદી સમાજના ડૉ. જયેશ બી. મોદી પરિવારને મળ્યો છે. ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રા માટેના ભવ્ય મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

