VIDEO: પાટણના બાદરપુરામાં 15 મકાનના પતરા ઉડ્યા, ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો
સોર્સ : gstv
પાટણના રાધનપુર પંથકમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયુ છે. રાધનપુરના બાદરપુરા ગામે તીવ્ર પવનના કારણે ગામમાં 15થી વધુ મકાનોના પતરાં હવામાં ઉડી ગયા હતા અને વર્ષો જૂના લીમડાના ઝાડ પણ ધરાશાયી થયા હતા. આ કુદરતી આફતમાં વીજ લાઇનના વાયરો તૂટી પડતાં સમગ્ર બાદરપુરા ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ખેડૂતોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

