Panchmahal: પાનમ ડેમમાં પાણીની આવક થતા 1275 ક્યુસેક પાણી છોડાયું
સોર્સ : GSTV
પંચમહાલમાં ગઈકાલ રાતથી જ મેઘમહેર શરુ છે. લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા પાનમ ડેમમાંથી પાણી છોડાયુ છે. પાનમ વિભાગ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે. પાનમડેમમાં ઉપરવાસમાથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે. પાનમ ડેમનો એક ગેટ આખો ખોલી 1275 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. રુલ લેવલ જાળવી રાખવા માટે પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે હાલમાં પાનમ ડેમમાં 3850 ક્યુસેક પાણી છે. ડેમમાંથી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

