VIDEO: નવસારીમાં પૂર બાદ સ્વચ્છતા માટે સુરતની મદદ
સોર્સ : gstv
પૂરના પાણી ઓસરતાં જ નવસારીના ૨૦થી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકી અને કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. શહેરમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાલિકા દ્વારા વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવા માટે સુરતથી વિશાળ માનવબળ અને આધુનિક ટેકનોલોજી ધરાવતા સાધનો સાથેની ખાસ ટીમો બોલાવાઈ છે. આ ટીમો યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરીને શહેરને રોગચાળાના ભયથી મુક્ત કરવા અને પૂર્વવત કરવા માટે કાર્યરત થઈ ગઈ છે.

