Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Death of pregnant woman and newborn family members uproar with allegations of negligence

Navsari/ ધમડાછાની સગર્ભા અને નવજાતનું મોત, ડૉક્ટર-નર્સની બેદરકારીના આક્ષેપો સાથે પરિવારજનોનો હોબાળો!

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Navsari/ ધમડાછાની સગર્ભા અને નવજાતનું મોત, ડૉક્ટર-નર્સની બેદરકારીના આક્ષેપો સાથે પરિવારજનોનો હોબાળો!
સોર્સ : gstv

નવસારી જિલ્લાના ધમડાછા ગામની એક સગર્ભા મહિલા અને તેના નવજાત શિશુના મૃત્યુનો મામલો ગરમાયો છે. પરિવારજનો અને હળપતિ સમાજના આગેવાનોએ ગણદેવીની જયકિશાન હોસ્પિટલના ડોક્ટર અને નર્સની બેદરકારીને આ મોત માટે જવાબદાર ગણાવીને ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી છે.

App Store

બેદરકારીને કારણે પ્રસૂતિ પૂર્વે સગર્ભા નીચે પડી

મૃતક સગર્ભા મહિલાનું નામ કલ્પના હળપતિ હતું અને તેમને પ્રસૂતિ માટે ગણદેવીની જયકિશાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના આક્ષેપ મુજબ, લેબર રૂમમાં ફરજ પરના નર્સ અને ડોક્ટરની બેદરકારીને કારણે પ્રસૂતિ પૂર્વે જ કલ્પના હળપતિ નીચે પડી ગયા હતા, જેના કારણે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. સગર્ભા નીચે પડ્યા બાદ બેહોશ થઈ જતાં તાત્કાલિક સિઝર (Cesarean Section) દ્વારા નવજાત શિશુને બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે નવજાત મૃત આવ્યું હતું.

પ્રસૂતા મહિલાનું પણ મોત, ગર્ભાશય કાઢવાની ફરજ પડી

નવજાતના મૃત્યુ બાદ પ્રસૂતા કલ્પના હળપતિની તબિયત પણ વધુ બગડી હતી. તેમની જટિલ સ્થિતિને કારણે તબીબોને તેમનું ગર્ભાશય (Uterus) કાઢવાની ફરજ પડી હતી.ગર્ભાશય કાઢ્યા બાદ પણ તબિયત સુધરી ન હોવાથી તેમને તાત્કાલિક નવસારીની એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સારવાર દરમિયાન પ્રસૂતા કલ્પના હળપતિનું પણ મોત થયું હતું.

પરિવારજનોના ગંભીર આક્ષેપો અને ન્યાયની માગ

પ્રસૂતા અને નવજાત એમ બે વ્યક્તિઓના મોત બાદ પરિવારજનોએ જયકિશાન હોસ્પિટલના ડૉક્ટર અને નર્સની બેદરકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે હોસ્પિટલની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા પરિવારજનોએ અન્ય એક ગંભીર આક્ષેપ પણ કર્યો છે:

હોસ્પિટલના ડોક્ટરે ફાઇલમાંથી જરૂરી કાગળો પણ ગુમ કર્યા

પરિવારજનો અને હળપતિ સમાજના આગેવાનોએ એકજૂથ થઈને ગણદેવી પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી આ મૃત્યુ માટે જવાબદાર ડોક્ટર અને સ્ટાફ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આવેદનપત્ર સ્વીકારીને યોગ્ય તપાસ શરૂ કરી છે.