VIDEO: નવસારીના રેલ મુસાફરો માટે મોટા સમાચાર: ‘કર્ણાવતી એક્સપ્રેસ’ને મળ્યું કાયમી સ્ટોપેજ!
સોર્સ : gstv
નવસારીવાસીઓની વર્ષો જૂની માંગણીનો આખરે સુખદ અંત આવ્યો છે, જ્યાં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી લોકપ્રિય 'કર્ણાવતી એક્સપ્રેસ'ને નવસારી રેલવે સ્ટેશન ખાતે કાયમી સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યું છે. વંદે ભારત બાદ કર્ણાવતી એક્સપ્રેસનું સ્ટોપેજ મળતાં અમદાવાદ, વડોદરા અને નડિયાદ તરફ મુસાફરી કરતા નોકરિયાતો તથા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટ્રેનમાં AC અને રિઝર્વેશનની સાથે ૪ જનરલ બોગીઓ પણ ઉપલબ્ધ હોવાથી ઇમર્જન્સી પ્રવાસીઓને મોટો ફાયદો થશે. આ ઉપરાંત બોરીવલી-વલસાડ મેમુ ટ્રેનને પણ સુરત સુધી લંબાવવામાં આવતાં દૈનિક અપ-ડાઉન કરતા મુસાફરોને રાહત મળી છે. સ્થાનિક નેતૃત્વ અને રેલવે મંત્રાલયના સહયોગથી મળેલી આ સફળતા બદલ નવસારી સ્ટેશન પર મુસાફરોએ ટ્રેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

