VIDEO: નર્મદામાં નકલી દવાથી કપાસનો પાક ખાખ, આપ નેતા નિરંજન વસાવાની વળતરની માંગ
સોર્સ : gstv
નર્મદાના ગરૂડેશ્વર અને તિલકવાડા માં નકલી કૃષિ દવાના છંટકાવને કારણે ખેડૂતોનો કપાસનો પાક બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ડબલ એન્જિન સરકારના રાજમાં કલેક્ટર, જજ અને અનાજ બાદ હવે કૃષિ દવાઓ પણ નકલી મળી રહી છે. મોંઘા બિયારણ અને ખાતર વચ્ચે આ નકલી દવાઓએ ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે

