VIDEO: મોરબી / હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા નગરપાલિકા એક્શન મોડમાં
સોર્સ : gstv
મોરબીના હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. શરણેશ્વર રોડ પર થઈ રહેલા કોંક્રિટ કામમાં ગેરરીતિ અને હલકી ગુણવત્તા સામે આવતા ચીફ ઓફિસરના આદેશથી તાત્કાલિક ધોરણે આ નબળું કામ તોડી પાડવામાં આવ્યું છે.નગરપાલિકાએ 'ઝીરો ટોલરન્સ' નીતિ જાહેર કરતા કોન્ટ્રાક્ટરને કડક નોટિસ ફટકારી છે. ચીફ ઓફિસરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, વિકાસકાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ટેન્ડરના માપદંડ બહારનું કામ સહન કરવામાં આવશે નહીં.

