VIDEO: મોરબી: આંદોલનનો ૧૯મો દિવસ, નેહુલ અમૃતિયાની તબિયત લથડી! આજે સોમવારે મોડી રાત્રે થશે મોટું એલાન
સોર્સ : GSTV
મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને આજે ૧૯ દિવસ પૂર્ણ થયા છે. આ લાંબા સંઘર્ષ વચ્ચે આંદોલનકારી નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આજે સોમવારે રાત્રે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ પારણા એ આંદોલનનો અંત નથી, પરંતુ એક નવી રણનીતિ છે. આંદોલનકારીઓ દ્વારા આજે રાત્રે જ આંદોલનના 'પાર્ટ-૩' માટે કોઈ મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે, જે આગામી સમયમાં સરકાર અને તંત્ર માટે મુશ્કેલી વધારી શકે છે. સમગ્ર પંથકની નજર હવે આ આંદોલનકારીઓના આગામી પગલાં પર છે.

