Morbiમાં ત્રાજપર ચોકડીથી ઘૂંટુ ગામ સુધી મેગા ડિમોલિશન, મનપાની કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ
સોર્સ : GSTV
મોરબી મહાનગરપાલિકા દ્વારા 'વન વીક વન રોડ' અભિયાન અંતર્ગત શહેરના માર્ગોને ખુલ્લા કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની સીધી હાજરીમાં ત્રાજપર ચોકડીથી ઘૂંટુ ગામ સુધીના માર્ગ પર સર્જાયેલા કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રસ્તામાં અડચણરૂપ બનતા અનેક દબાણો તોડી પાડીને માર્ગને મોકળો કરવામાં આવ્યો છે. તંત્રની આ આક્રમક કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

