VIDEO: ધરોઈ ડેમમાં માત્ર ૫૧ ટકા પાણી: ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં સિંચાઈના પાણીને લઈને ચિંતા વધી
સોર્સ : gstv
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ઉપરવાસમાં નહિવત વરસાદને કારણે હાલ માત્ર 51 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમની જળસપાટી ૬૦૭ ફૂટ આસપાસ પહોંચી છે, જેના કારણે તે અડધો ખાલી જોવા મળ્યો છે...તંત્રના દાવા મુજબ પીવાનું પાણી પૂરું પાડવા માટે આ જથ્થો પર્યાપ્ત છે, પરંતુ સિંચાઈના પાણી માટે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. શિયાળુ પાકના વાવેતર માટે ડેમના પાણી પર નિર્ભર ખેડૂતોને આગામી દિવસોમાં વરસાદ ન થાય તો મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

