Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : AC installed in the Ganapati temple in Mehsana

VIDEO: મહેસાણાના ગણપતિ મંદિરના ગર્ભગૃહમાં AC લગાવાયું, ભગવાનને ગરમીમાંથી રાહત આપવા ભક્તોએ કરી વ્યવસ્થા

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યભરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે મહેસાણાના રાજમહેલ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ગણપતિ મંદિરે અનોખી વ્યવસ્થા કરી છે. ભગવાન ગણેશને ગરમીથી રાહત મળે તે માટે ગર્ભગૃહમાં એર કંડિશનર લગાવવામાં આવ્યું છે. સવારથી જ એસી ચાલુ રાખવામાં આવે છે અને માત્ર આરતી તથા ભોગ સમયે જ થોડા સમય માટે બંધ કરવામાં આવે છે.

App Store

ભગવાનને દૂધ, શીતળ પીણાં અને ફળોનો ભોગ ધરાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભક્તોને પણ ગરમીમાં રાહત મળે તે માટે મંદિર પરિસરમાં સાત મોટા પંખા અને જમ્બો કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.