VIDEO: સંસદ પરિસરમાં ભગવા વસ્ત્રોના અપમાનને લઈ સંત સમાજમાં રોષ
સોર્સ : gstv
મહીસાગર જિલ્લામાં સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સંસદ પરિસરમાં થયેલી ઘટનાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંત સમાજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પપ્પુ યાદવ સહિતના આગેવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંતોના જણાવ્યા મુજબ સંસદ ભવનમાં યોજાયેલા ધરણા દરમિયાન સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને સંત સમાજનું અનાદર થતાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ ઘટનાને નિંદનીય અને આઘાતજનક ગણાવી જવાબદારો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

