VIDEO/ માંડવી: સ્વામિનારાયણ મંદિરના સ્વામીના નિવેદનથી વિવાદ, બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ
સોર્સ : GSTV
કચ્છ જિલ્લાના માંડવી ખાતે યોજાયેલા શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના વિવાદાસ્પદ નિવેદનથી માહોલ ગરમાયો છે. બ્રહ્મ સમાજ અંગે કરાયેલી ટિપ્પણી બાદ બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અને સોશિયલ મીડિયા પર નિવેદનનો વીડિયો વાયરલ થતા વિરોધની માંગ ઉઠી છે. કાર્યક્રમમાં અનિરુદ્ધ દવે સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને આશરે 1400 જેટલા બ્રાહ્મણો હાજર રહ્યા હતા. તેમણે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીના વિવાદાસ્પદ નિવેદનને લઈને માફી માંગે તેવી માગ કરી છે.

