VIDEO: રણછોડરાય મંદિરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી, અત્યંત ભીડ વચ્ચે 150થી વધુ ભક્તો બેભાન
સોર્સ : gstv
પરષોત્તમ માસની પૂનમે રણછોડરાય મંદિરમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 44 ડિગ્રીની કાળઝાળ ગરમી અને અત્યંત ભીડ વચ્ચે વ્યવસ્થાના અભાવે 150થી વધુ ભક્તો બેભાન થઈ ગયા. લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા છાંયડા, પાણી અને શૌચાલયની સુવિધા ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડી. મંદિર વ્યવસ્થાપન અને વહીવટીતંત્રની અવ્યવસ્થાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 70થી 80 ભક્તોને ઓક્સિજન અને ORS આપીને તાત્કાલિક સારવાર આપવામાં આવી. આ ઘટનાએ તંત્રની તૈયારી પર અનેક સવાલ ઊભા કર્યા છે.

