VIDEO: શેઢી નદીના વિનાશક પૂર અને ભારે વરસાદથી ગડતેશ્વર પંથકના બાર ગામો સંપર્કવિહોણા
સોર્સ : gstv
ગડતેશ્વર પંથકમાં ભારે વરસાદ તથા શેઢી નદીના વિનાશક પૂરના લીધે વ્યાપક તારાજી સર્જાઈ છે. છેલ્લા બારથી ચૌદ દિવસ સુધી છાતીસમા પાણી ભરાયેલા રહેવાના કારણે બાર ગામોના સાત હજારથી વધુ ખેડૂતોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ડાંગર, તમાકુ તેમજ લીલા શાકભાજીના પાક સંપૂર્ણ ધોવાઈ જવાથી ખેડૂતો પાયમાલ થયા છે. પાછલા પચાસ વર્ષથી દર ચોમાસે એસટી બસો અને શાળાઓ બંધ થવાથી શિક્ષણ તેમજ દૂધ-શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે લોકો વલખાં મારી રહ્યા છે. વહીવટી તંત્રની ઉપેક્ષાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે, ત્યારે પીડિત ખેડૂતો દ્વારા ત્વરિત સરકારી સહાય અને પૂરના કાયમી નિવારણની ઉગ્ર માંગ ઉઠાવાઈ છે.

