VIDEO: માતરમાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોમાં રોષ: ૨૫ ઓગસ્ટે કલેક્ટર કચેરીએ મોરચાની ચીમકી
સોર્સ : gstv
ખેડા જિલ્લાના માતર તાલુકામાં સિંચાઈના પાણીની ગંભીર અછતને પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. લીંબાસી, માલાવાડા, ખરેંટી, સાયલા, પરીએજ અને વલોતરી સહિતના ૧૦થી વધુ ગામોમાં કેનાલના છેવાડા સુધી પાણી ન પહોંચતાં મોંઘાભાવનો ઊભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ વારંવાર ઉગ્ર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન લાવવામાં આવતાં ખેડૂતોએ આખરી અલ્ટીમેટમ આપ્યું છે. જો તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો આગામી ૨૫મી ઓગસ્ટે તમામ ગામોના ખેડૂતો એકઠા થઈ નડિયાદ કલેક્ટર કચેરી ખાતે મહામોરચો લઈ જઈ ઉગ્ર આંદોલન કરશે.

