VIDEO: માંગરોળ પંથકમાં સિંચાઈ મુદ્દે ખેડૂતોની ચિંતા વધી, અનેક ચેકડેમો અતિ જર્જરિત હાલતમાં
સોર્સ : gstv
જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સિંચાઈ મુદ્દે ખેડૂતોની ચિંતા વધી છે. મળતા અહેવાલ પ્રમાણે વોકળાઓ અને નેત્રાવતી નદી પર બનેલા અનેક ચેકડેમો અતિ જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ ચોમાસાનું પાણી સંગ્રહ થતું નથી.
ગોરેજ ગામે ખેડૂતો એકત્ર થઈ સરકાર પાસે નવા ચેકડેમ બનાવવા માંગ કરી
ગોરેજ ગામે ખેડૂતો એકત્ર થઈ સરકાર પાસે નવા ચેકડેમ બનાવવા માંગ કરી છે. દરિયાકાંઠા વિસ્તારમાં ખારા પાણીની અસર વધતા જમીન બંજર બનવાની ભીતિ વચ્ચે ખેડૂતોે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

