Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : JUNAGADH: Huge anger among farmers due to Narmada pipeline work

JUNAGADH: નર્મદા પાઇપલાઇનના કામને કારણે ખેડૂતોમાં ભારે રોષ, 50 જેટલા ખેડૂતોની હાલત કફોડી

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગામે નર્મદા પાઇપલાઇનના કામને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસું નજીક હોવા છતાં ખેતરોમાં પાઇપલાઇન નાખવાની કામગીરીથી ખેતી કરવી મુશ્કેલ બની છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ કામને લીધે અનેક ખેતરોની જમીન બંજર બની ગઈ છે અને આંબા સહિતના કિંમતી વૃક્ષો કાપી નાખવામાં આવતા તેમને આર્થિક ફટકો પડ્યો છે. વળતરની ખાતરી આપ્યા બાદ હવે કોઈ જવાબદાર અધિકારી દરકાર લેતા નથી, જેના કારણે અંદાજે 50 જેટલા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ચોમાસામાં વાવેતર અશક્ય લાગી રહ્યું છે. આ ઉપરાંત, કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ખેડૂતોએ જણાવ્યું કે પાઇપલાઇન નીચે નિયમ મુજબ રેતી ભરવામાં આવતી નથી અને ઊભા મોલને પણ વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં નુકસાનીનું વળતર કોણ ચૂકવશે તેવા અનેક સવાલો સાથે ખેડૂતો હવે તાત્કાલિક યોગ્ય વળતર અને સમસ્યાના કાયમી નિરાકરણની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

App Store