જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત

જામનગરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હજુ યથાવત જોવા મળી રહી છે. જામનગરમાં ફરી એક વખત મનપાની માલિકીની જગ્યા પર કબજો કરી લેનાર ૪૫ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. મહાપ્રભુજીની બેઠક નજીક મનપાની ગાર્ડન હેતુ માટે અનામત રાખેલ જગ્યામાં વર્ષોથી દુકાનદારોએ દબાણ કર્યું હતું. આ મામલે ૪૫ દુકાનોને જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. નોટીસ બાદ મોટાભાગના દુકાનદારોએ પોતાની દુકાનો સ્વેચ્છાએ ખાલી કરી દીધી હતી. આજે મનપાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ જમીનની બજાર કીંમત અંદાજે ૫૦ કરોડ જેટલી માનવામાં આવી રહી છે.
જામનગરમાં એક જ દિવસમાં બે મહત્વના સ્થાને ડોમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે ગેરકાયદે દુકાનોના ડિમોલિશન બાદ ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. તેમજ ગેરકાયદે દરગાહ પર પણ બુલડોઝર ચાલ્યું હતું. જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો હતો. આ સ્થાનો પર ત્રણ જેસીબી મશીન દ્વારા તોડપાડ કરવામાં આવી હતી. આ ત સ્થાનોને અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી.

