VIDEO:500 કરોડના ખર્ચે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું આધુનિક રૂપાંતર
સોર્સ : GSTV
જામનગર ખાતે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું અંદાજે 500 કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહ્યું છે.જેની તાજેતરમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી. 98 વર્ષ જૂની આ હોસ્પિટલમાં બેડની સંખ્યા 1800 થી વધારીને 3 હજાર કરવામાં આવશે.તેમજ 7 થી 8 માળની અદ્યતન બિલ્ડિંગોનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટ હેઠળ આઈસીયુ બેડની ક્ષમતા પણ 75 થી વધારી 225 કરાશે.જેનાથી જામનગર સહિત ખંભાળિયા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જેવા આસપાસના જિલ્લાઓના દર્દીઓને અત્યાધુનિક સ્વાસ્થ્ય સેવાઓ ઘરઆંગણે મળી રહેશે. પદાધિકારીઓએ આ પ્રોજેક્ટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની દેશની અવિરત વિકાસ યાત્રાનું મહત્વનું પગલું ગણાવ્યું હતું.

