VIDEO: રાજકોટ કોર્પોરેટરના પગાર વધારાની માંગ પર અમિત ચાવડાએ કર્યા આકરા પ્રહાર
સોર્સ : gstv
રાજકોટના કોર્પોરેટરોનો પગાર 15 હજારથી વધારીને 50 હજાર કરવાની માંગ સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજકોટના કોર્પોરેટરોને વેતન નહીં, પરંતુ ભ્રષ્ટાચાર પણ ઓછો લાગે છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં સુધી કમિશનના પૈસા કમલમ સુધી ન પહોંચે ત્યાં સુધી એકપણ કોન્ટ્રાક્ટ પર સહી થતી નથી. અમિત ચાવડાએ કહ્યું કે પ્રજાને સુખાકારી મળતી નથી, પરંતુ દરેક જિલ્લામાં બનતા કમલમ પ્રજાના પૈસે બની રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો પ્રજાના પ્રતિનિધિને પગાર ઓછો પડતો હોય તો પ્રજાના પૈસા લૂંટવા કોઈપણ રીતે યોગ્ય નથી.

