Gandhinagar news: રાજ્યના 2 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી, જાણો

સોર્સ : GSTV
Gandhinagar news: ગુજરાત પોલીસ વિભાગના બે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. IPS મનોજ અગ્રવાલને સીઆઈડી ક્રાઈમમાં બદલી કરવામાં આવી છે. જ્યારે મનોજ અગ્રવાલ આઈપીએસની બદલીથી ખાલી પડેલી જગ્યાએ નિયામક સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડસના વધારાનો હવાલો પીયૂષ પટેલ આઈપીએસને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત આર.વી.ચુડાસમા વડોદરા પોલીસ મહાનિરીક્ષકને ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો સોંપાયો.


