VIDEO: Dwarka/ "દાદાના બુલડોઝરને ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણો કેમ નથી દેખાતા?"- પાલ આંબલિયા, દ્વારકામાં ડિમોલિશન પર ગરમાયું રાજકારણ
સોર્સ : GSTV
ઓખામંડળમાં વેરાન જગ્યા પર આવેલા રામાપીર મંદિર સહિતના ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. આ મામલે પાલ આંબલિયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, જો સરકારને માત્ર સરકારી જમીનનું જ મહત્ત્વ હોય, તો દ્વારકા શહેરમાં ભાજપના નેતાઓએ કિંમતી જમીનો પર કરેલા દબાણો કેમ દેખાતા નથી? વેરાન જગ્યા પર બુલડોઝર ચલાવતા તંત્રમાં જો ખરેખર દમ હોય, તો ભાજપના નેતાઓના ગેરકાયદેસર બંગલાઓ અને ઓફિસો પર કાર્યવાહી કેમ નથી થતી?

