VIDEO: સોમનાથ મંદિર નજીક કોરિડોરના અસરગ્રસ્તોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
સોર્સ : GSTV News
VIDEO: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના વિકાસ માટે મંદિર નજીક કોરિડોર બનવા જઈ રહ્યો છે જેની તમામ તૈયારીઓ તંત્ર દ્રારા કરવામા આવી છે. પરંતુ 384 જેટલા લોકો આ કોરિડોરના લીધે અસરગ્રસ્ત થવાના છે, કોઈના રહેણાક, હોટલો, રૅસ્ટોરન્ટ, દુકાનો કપાતમાં જવાની છે, ત્યારે તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની ચોખવટભરી વાત કે ખુલાસો ન કરવામાં આવતા લોકોમા ભારે રોષ ફેલાયો છે. ગીર-સોમનાથ જિલ્લામા કોરિડોર બનવાની ટોક ઑફ ધ ટાઉન બનેલો કિસ્સો છે. કોરિડોર બનતા 384 જેટલા લોકો અસરગ્રસ્ત થવાના છે. ત્યારે આને લઈ લોકોમા ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
લોકોએ પ્રભાસ પાટણની બજારો કરીને વિરોધ દર્શાવ્યો હતો. આ તમામ લોકોએ બેઠકો યોજી હતી. હિન્દુ, મુસ્લિમ સહિત બહોળી સંખ્યામા લોકો એકઠા થઈ વેરાવળ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

