Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Security at Dwarkadhish temple increased following Pahalgam terror attack

DWARKA NEWS: Pahalgam terror attackને પગલે દ્વારકાધિશ મંદિરની સુરક્ષા વધારાઈ

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2025
લાઇવ ટીવીGoogle News
DWARKA NEWS: Pahalgam terror attackને પગલે દ્વારકાધિશ મંદિરની સુરક્ષા વધારાઈ

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. Pahalgam terror attack ને પગલે ગુજરાત સહિત ઘણી જગ્યાઓની સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં પણ અનેક લોકોનો આવરોજાવરો હોવાથી તેની સુરક્ષામાં સખત વધારો કરી દેવાયો છે. 

App Store

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમારે જણાવ્યું કે, દ્વારકા મંદિરની સુરક્ષાનો રિવ્યૂ પણ કરવામાં આવ્યો છે, જ્યારે દરિયાઈ સુરક્ષાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પોલીસની LCB, SOG સહિતની ટીમો કામે લગાડવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં જ્યાં ટાપુ છે ત્યાં ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે,
મોરબી, જામનગર અને દ્વારકા વિસ્તાર રાજકોટ રેન્જમાં આવે છે. ઓખા અને દ્વારકાથી દુશ્મન દેશ નજીક હોવાથી આ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં સુરક્ષામાં સખત વધારો કરાયો છે. 

ટોપિક્સ:dwarkadwarkadhish temple