VIDEO: દ્વારકામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ગોમતી નદીમાં રેલિંગ
સોર્સ : gstv
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં આસ્થાની ડૂબકી હવે વધુ સુરક્ષિત બનશે. શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 77 લાખ રૂપિયાના ખર્ચે નદીમાં રેલિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલિંગનું 90 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ભૂતકાળમાં ગોમતી નદીમાં ડૂબી જવાની અનેક ઘટનાઓ સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને યાત્રિકોના રક્ષણ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

