Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : Aam Aadmi Party to hold Kisan Satyagraha in Gandhinagar on October 2

VIDEO: આમ આદમી પાર્ટી 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ખેડૂત સત્યાગ્રહ કરશે

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખંભાળિયામાં દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આંદોલનની આગામી રણનીતિ જાહેર કરી છે. હવે આ આંદોલનનું બીજું ચરણ શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત ગામેગામ સત્યાગ્રહ યોજાશે. આ અભિયાન હેઠળ લાખો ખેડૂતો પાસે દુષ્કાળ રાહતની માંગણીના ફોર્મ ભરાવવામાં આવશે. ખેડૂતો પાસેથી ભરાવાયેલા આ ફોર્મ્સ સાથે “ચાલો ગાંધીનગર” કાર્યક્રમ યોજાશે. આગામી 2 ઓક્ટોબરે લાખો ખેડૂતો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ કરશે અને સરકાર સમક્ષ રાજ્યમાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને યોગ્ય રાહત આપવાની પ્રબળ માંગ ઉઠાવશે. સરકાર પર દબાણ વધારવા માટે આ આંદોલનને હવે વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે.

App Store