દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે હોસ્પિટલ સામેના રેલવે ક્વાટર્સમાં વાવાઝોડાને કારણે મકાનની ઉપરના પતરા ઉડવાની ઘટના બની હતી. તેજ પવનને લીધે એક પછી એક ચાર જેટલા પતરા ઉડીને નજીકમાં પડતા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.